ગ્રેટર નોઇડામાં બે ઇમારત પડી, ત્રણ લોકોના મોત
Live TV
-
ગ્રેટર નોઇડામાં શાહબરીમાં ચાર માળની ઇમારત અને એક બાંધકામ હેઠળની છ માળની ઇમારત તૂટી પડી હતી. રાહત અને બચાવ હાથ ધરી રહેલી એનડીઆરએફએ અત્યાર સુધી બે શબ બહાર કાઢ્યા છે. હજુ પણ વધુ લોકો કાટમાળ હેઠળ દબાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ રાત્રિભર બચાવ અભિયાન ચલાવ્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બનાવની જાણકારી મેળવીને અધિકારીઓને પગલાં ભરવા સૂચના આપી હતી. ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ કેન્દ્રિયમંત્રી મહેશ શર્માએ કહ્યું કે, રાહત બચાવ યોગ્ય દિશામાં જઈ રહ્યા છે.
