ચંદ્રયાન-3નું લોન્ચિંગ આ વર્ષના મધ્ય સુધીમાં : ISRO
Live TV
-
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3, અને પ્રથમ સૌર મિશન આદિત્ય એલ1નું પ્રક્ષેપણ સંભવતઃ 2023ના મધ્ય સુધીમાં થશે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે આયોજિત ચોથી ભારતીય પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સમાં "ભારતીય ક્ષમતાઓ ફોર સ્પેસ એન્ડ પ્લેનેટરી એક્સપ્લોરેશન" પર ઉદ્ઘાટન વક્તવ્ય આપતાં જણાવ્યું કે, ચંદ્રયાન-3 યાન સંપૂર્ણ રીતે તૈયાર છે. તે સંપૂર્ણ રીતે સંકલિત છે અને સંભવતઃ લોન્ચિંગ આ વર્ષના મધ્ય સુધીમાં થઈ શકે છે. સાથે તેમણે જણાવ્યું કે, આદિત્ય-L1, ભારતનું પ્રથમ સૌર મિશન છે, જે એક ખૂબ જ અનોખી સૌર અવલોકન ક્ષમતા બનવા જઈ રહ્યું છે, જેના માટે સાધનો પહેલેથી જ વિતરિત કરવામાં આવ્યા છે, અને ISRO તેમને ઉપગ્રહમાં એકીકૃત કરવાની પ્રક્રિયામાં છે.
