ચીની એપ પર પ્રતિબંધ ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે સ્વર્ણિમ અવરસઃ રવિશંકર પ્રસાદ
Live TV
-
ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પાંચ વર્ષ પૂર્ણ થવા પર કર્યું સંબોધન
ટેકનોલોજીના ક્ષેત્રમાં સશક્ત ભારત બનાવવાની દીશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ડિજીટલ ભારત અભિયાન પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ડિજીટલ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું,. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે , ડિજીટલ ઇન્ડિયાને અભૂત પૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં ડિજીટલ ઇન્ડિયા સમયની માંગ હતી અને આપણે બદલાતા જતાં ટેકનોલોજીના યુગ સાથે કદમ મિલાવવા જરૂરી છે.
