ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને 17 તોપોની સલામી સાથે અગ્નિદાહ અપાયો
Live TV
-
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી છાવણીના બ્રાર સ્ક્વેર સ્મશાનગૃહમાં થોડા સમય પહેલા 17 તોપોની સલામી સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જનરલ રાવત અને મધુલિકા રાવતના પાર્થિવ દેહને આજે સાંજે બ્રાર સ્ક્વેર ખાતે અંતિમયાત્રામાં લાવવામાં આવ્યા હતા. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા જનરલ રાવતની શોભાયાત્રાના રસ્તે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અગ્રણી મહાનુભાવોએ પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને આપી શ્રદ્ધાંજલિ.
