ચૂંટણીપંચ દ્વારા હાલ આચારસંહિતાનો કડક અમલ
Live TV
-
ચૂંટણીપંચ દ્વારા હાલ આચારસંહિતાનો કડક અમલ કરાઈ રહ્યો છે. અમદાવાદ શહેર તથા જિલ્લામાં કોર્પોરેશનના ઝોન વાઈઝ અમદાવાદ કમિશનરને સત્તા સોંપવામાં આવી છે. જેમાં દિવાલો પર ચૂંટણી પંચની મંજૂરી વિનાના રાજકીય લખાણો પોસ્ટર બેનર હોડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા એડિશનલ કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે આચારસંહિતાનો ભંગ કરતી 13 હજાર 995 જેટલી સામગ્રી હટાવવામાં આવી છે.
