ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી
Live TV
-
આદિવાસી સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન કરવાનો આરોપ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. મધ્યપ્રદેશના શહડોલમાં જનસભાને સંબોધતાં આદિવાસી સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન બોલવાનો આરોપ છે. આ મુદ્દે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. રાહુલ ગાંધીને 48 કલાકની અંદર એટલે કે 3 મે સુધી જવાબ આપવાનું જણાવ્યું છે. ભાજપે આ નિવેદનની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. ચૂંટણી પંચે મધ્યપ્રદેશના સીઇઓ પાસેથી તેના ભાષણનું રોકોર્ડિગ અને લેખિત કોપી પણ મંગાવી હતી. જેની સમીક્ષા કર્યાં બાદ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ આપી છે.
