ચોકીદાર શબ્દ દેશભક્તિ અને પ્રમાણિકતાનો પર્યાયઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઑડિયોના માધ્યમથી દેશભરના લગભગ 25 લાખ ચોકીદારોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ આ સંબોધન 'મેં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત કર્યું હતું.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ચોકીદાર ચોર હૈ તેવો વિપક્ષનો નારો દેશ માટે નુકશાનકારક છે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે ચોકીદારનો અર્થ બદલાઈ ગયો છે. દેશમાં ચોકીદાર શબ્દ ઈમાનદારીનો પર્યાય બની ગયો છે.
