સમજૌતા ઍક્સ્પ્રેસ વિસ્ફોટ કેસઃ અસીમાનંદ સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર
Live TV
-
કોર્ટની આ મામલે 11 માર્ચે સુનાવણી પૂરી થઈ હતી.મહત્વનું છે કે, સમજૌતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી 2007નાં રોજ પાનીપત પાસે વિસ્ફોટ થયો હતો. જેમાં 68 લોકોનાં મોત થયા હતા.
એનઆઈએની વિશેષ કોર્ટે સમજૌતા બ્લાસ્ટ કેસ મામલે અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી અસીમાનંદ ઉપરાંત લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીને પણ નિર્દોષ છોડી દીધા છે.
