છત્તીસગઢના નારાયણપુરમાં ફાઇરિંગ, 6 જવાનના મોત, બે જવાન ઘાયલ
Live TV
-
છત્તીસગઢના નારાયણપુરમાં ફાઇરિંગની ઘટના સામે આવી છે. જેમાં સુરક્ષાબળના એક જવાને પોતાના જ સાથી જવાનો પર ગોળીઓ ચલાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં 5 જવાન અને ગોળી ચલાવનાર આરોપી જવાન સહિત 6ના મોત નિપજ્યા છે.
છત્તીસગઢના નારાયણપુરમાં ફાઇરિંગની ઘટના સામે આવી છે. જેમાં સુરક્ષાબળના એક જવાને પોતાના જ સાથી જવાનો પર ગોળીઓ ચલાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં 5 જવાન અને ગોળી ચલાવનાર આરોપી જવાન સહિત 6ના મોત નિપજ્યા છે. તેમજ આ ગોળીબારમાં 2 જવાન ગંભીર રીતે ઘાયલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધા જવાનો આઇટીબીપીના હતા. બસ્તર આઇજીએ ઘટનાની પુષ્ટિ કરી દીધી છે. નારાયણપુરના પોલીસ કમિશ્નરનું કહેવું છે કે આઇટીબીપી જવાનો વચ્ચે પરસ્પર થયેલી ફાયરિંગના લીધે 6 જવાનોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ આ ગોળીબારમાં બે જવાનોને ગંભીર ઇજા પહોંચતાં ઘાયલ થયા છે. ઘાયલ થયેલા જવાનોની સારવાર ચાલુ છે.
