વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આપી જવાનોનો જુસ્સો વધાર્યો
Live TV
-
નૌકાદળ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમગ્ર નૌકાદળના જવાનો અને તેમના પરિવારને ટ્વિટ દ્વાર શુભકામના આપી છે.
આજે નૌકાદળ દિવસ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌકાદળની જીત થઇ હતી. તેની ખુશીમાં દરવર્ષે 4 ડિસેમ્બરે સમગ્ર દેશમાં નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે. નૌકાદળ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમગ્ર નૌકાદળના જવાનો અને તેમના પરિવારને ટ્વિટ દ્વાર શુભકામના આપી છે. તેમજ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ નૌકાદળના જવાનોના અદમ્ય સાહસ અને પરાક્રમના વખાણ કરી ટ્વિટ કરી આજના દિવસની શુભકામના પાઠવી છે. તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી નૌકાદળના જવાનોને શુભકામના પાઠવી તેમના જુસ્સાને વધાર્યો છે. તેમજ પીએમ મોદીએ એક વીડિયો પણ રજૂ કર્યો છે.
