છત્તીસગઢમાં રાયપૂર ખાતે સદાકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
Live TV
-
છત્તીસગઢમાં વસતા ગુજરાતી પરિવારોને આગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશના અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતી પરિવારોની યુવા પેઢીને વતન સાથે જોડાવા વતનની પ્રતિષ્ઠા વધારવા માટે ગુજરાત સાથેનું જોડાણ વધુ સંગીન બનાવવા અનુરોધ કર્યો છે. છત્તીસગઢમાં રાયપૂર ખાતે સદાકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાનની નવી પરંપરા હેઠળ છત્તીસગઢ અને ગુજરાતને એક બીજાને નજીકથી ઓળખવાનો અવસર મળ્યો છે. તેમણે છત્તીસગઢમાં વસતા ગુજરાતી પરિવારોને આગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી ડોક્ટર રમણસિંહ બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
