મહારાષ્ટ્રમાં નક્સલિઓ વિરૂદ્ધ મોટુ ઑપરેશન, 14 નક્સલી ઠાર
Live TV
-
મહારાષ્ટ્રના તાડગાવ ખાતે બાતમીના આધારે હાથ ધરાયું ઓપરેશન, હુમલામાં સાઈનાંથ અને ચીનુ નામના બે મોટા સ્થાનિક નક્સલ લીડર માર્યા ગયાની સંભાવના.
મહારાષ્ટ્રના ગઢચિરોલીના તાડગાવ ખાતે પોલીસ અને સુરક્ષા કર્મીઓને મળી છે મોટી સફળતા. આ સફળતામાં કુલ 14 જેટલા નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ મામલે પોલીસ અને સુરક્ષા કર્મીઓને બાતમી મળી હતી. તાડગાવ વિસ્તારમાં નક્સલીઓ છુપાયાના સમાચાર આધારે પોલીસ અને સુરક્ષા કર્મી હુમલો કરવામાં આવ્યો હતો. અને સામસામેના ગોળીબાળમાં 14 જેટલા નક્સલ માર્યા ગયા છે. આ હુમલામાં સાઈનાંથ અને ચીનુ નામના બે મોટા સ્થાનિક નક્સલ લીડર માર્યા ગયાની સંભાવના છે. જો કે હજુ આ વિસ્તારમાં નક્સલ છુપાયાનાની આશંકાના વગલે ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ 3 નક્સલીઓ આવા સર્ચ ઓપરેશનમાં માર્યા ગયા હતા
