છેલ્લાં 3 વર્ષમાં આયુષ્માન ભારત PM JAY યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ 7,400 કરોડ રૂ.પૂરા પાડ્યા
Live TV
-
કેન્દ્ર સરકારે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ સાત હજાર 400 કરોડ રૂપિયા પૂરા પાડ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉક્ટર ભારતી પવારે ગઇકાલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2018 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી જે વિશ્વનો સૌથી મોટો આરોગ્ય સંભાળ કાર્યક્રમ છે. આ યોજના હેઠળ, આશરે 10 કરોડ 74 લાખ ગરીબ અને નબળા પરિવારોને હોસ્પિટલમાં દાખલ થવા માટે પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયા સુધીનું કવર પૂરું પાડવામાં આવે છે.
આ યોજના હેઠળના લાભાર્થી પરિવારોની ઓળખ 2011ની સામાજિક-આર્થિક જાતિ ગણતરીના આધારે કરવામાં આવી છે.
