રાષ્ટ્રપતિ કોવિંદ આજે 22 મી ભારતીય નૌસેના મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રન ને 'રાષ્ટ્રપતિ માનક'પ્રદાન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્ર પ્રવાસના ત્રીજા દિવસે મુંબઈ ખાતે આજે 22 મી ભારતીય નૌસેના મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રનને "રાષ્ટ્રપતિ માનક"પ્રદાન કરશે. મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રનને કીલર્સ સ્ક્વૉડ્રન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા ખાસ ટિકિટ પણ પ્રદાન કરવામાં આવશે. આ પુરસ્કાર વાયુ સેના અને સ્ક્વાડ્રનને યુદ્ધ અને શાંતિ બંને વચ્ચે રાષ્ટ્રની અસાધારણ સેવા આપવા માટે પ્રેરિત કરે છે. વેસલ સ્કવાડ્રન એ 1971 ના યુદ્ધ દરમિયાન કરાચી બંદરે પાકિસ્તાની નોસેનાના જહાજોને ધવ્સ્ત કરી દીધો હતો.
