છેલ્લા ઘણા દિવસથી સંસદના બંને ગૃહોમાં વિપક્ષના હોબાળાને કારણે બજેટ સત્રનુ બીજુ ચરણ ખોરવાયુ
Live TV
-
રાજ્યસભામાં આજે લોક લેખા સમિતિનો રિપોર્ટ કરાશે રજૂ
સંસદના બજેટસત્રનો બીજો તબક્કો સતત શોરબકોરને કારણે પ્રભાવિત થયો છે. સંસંદ સત્રની સમાપ્તિના આડે માત્ર બે દિવસ બચ્યા છે. બંને ગૃહોમાં આજે ગતિરોધને દૂર કરવા પ્રયાસ થશે. લોકસભામાં આજે મહત્વના અનેક વિધેયક સુચિબદ્ધ છે. કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા સાગરકાંઠા જળ કૃષિ સત્તામંડળ સુધારા વિધેયક 2023 રજૂ કરશે. તો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દૈવ વૈવિધ્ય સુધારા વિધેયક, 2022 રજૂ કરશે. આ ઉપરાંત કાયદામંત્રી કિરણ રિજિજૂ પણ નિરસન અને સુધારા વિધેયક, 2022 રજૂ કરશે. તો રાજ્યસભામાં આજે જનજાતિય કાર્યમંત્રી અર્જુન મુંડા છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારા કરતા વિધેયકો રજૂ કરશે. લોકસભા આ પહેલાં જ આ બંધારણ સંશોધન વિધેયકોને પસાર કરી ચૂકી છે.
