છેલ્લા 14 દિવસોમાં દેશના 80 જિલ્લામાં કોઈ કેસ નહીં: સરકાર
Live TV
-
સરકારે જણાવ્યું છે કે, છેલ્લા 28 દિવસોમાં 12 જિલ્લામાં કોઈ વ્યક્તિને પોઝિટીવ રિપોર્ટ આવ્યો નથી. દેશમાં સ્વસ્થ થનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણની રોક માટે સરકાર દ્વારા આપવામાં આવેલ લૉકડાઉનના પરિણામો હવે દેખાવા લાગ્યા છે. દેશમાં એક મહિનાના લોકડાઉન 3:5 ની બમણી ગતિથી વધતું સંક્રમણ હવે 10: 1 થઈ ગયું છે. વાયરસના સંક્રમણને રોકવા માટે 24 માર્ચની રાત્રે લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું હતું.
હાલમાં દેશમાં બે લાખ આઈશોલેશન બેડ, 24 હજાર આઈસીયુ બેડ અને 12 હજાર વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યા છે. સરકારે કોવિડ-19ની લેબની સંખ્યા પણ 230 માંથી 300 કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી મહિનાના અંત સુધીમાં પ્રતિ દિવસ એક લાખથી વધારે નમૂનાનું પરીક્ષણ કરી શકાશે.
