જમશેદપુરને 100 વર્ષ પૂર્ણના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિનું સંબોધન
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ કહ્યું કે, દેશને આતંક અને હિંસાથી બહાર નીકળીને સમગ્ર વિકાસ તરફ આગળ વધવું પડશે અને ત્યારે જ આપણે 21મી સદીના પડકારોનો સામનો કરી શકીશું.
જમશેદપુર શહેરને 100 વર્ષ પૂરા થવા પર સોમવારે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, જમશેદપુર દેશના ઔદ્યોગિક વિકાસનું જન્મસ્થળ છે. ટાટા સ્ટીલની ઉચ્ચ નૈતિકતા અને ઉદ્યમિતા દેશ માટે એક ઉદાહરણ રૂપ છે.
વધુમાં તેમણે કહ્યું કે, આપણો દેશ વસુધૈવકુંટુંબકમ ની નીતિ પર આગળી વધી રહ્યો છે. જેનું મૂળ સબકા સાથ સબકા વિકાસ છે. ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સ્માર્ટ સિટી, ડિઝિટાઈઝેશન, સ્વચ્છ ભારત અભિયાન વગેરેનો દાખલો પણ તેમણે આપ્યો હતો.
