જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બે આતંકવાદી ઠાર, ગત સાંજથી જ ચાલી રહી હતી અથડામણ
Live TV
-
આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે સલામતી દળોએ અભિયાન આદર્યુ છે. જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લામાં સલામતી દળોએ બે આતંકવાદીઓને ઢાળી દીધાં છે. સલામતી દળોને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
ગત મોડી સાંજથી આતંકવાદીઓ સાથે સલામતી દળોની અથડામણ ચાલી રહી હતી. કલાકો સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષા દળોએ બંને આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઠાર કરેલા આ બંને આતંકવાદીઓની ઓળખ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
