જમ્મુ- કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર કર્યા
Live TV
-
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે
જમ્મુ- કાશ્મીર બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ અથડામણમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. સેનાએ પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ લશ્કરના આતંકી નવીદ જટને ઠાર કર્યો છે. આ પહેલા મંગળવારે બે અલગ - અલગ અથડામણમાં 3 આતંકવાદીને ઠાર કર્યા હતા.
