જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ જૈશના બે આતંકવાદીઓને ઠાર કર્યા
Live TV
-
બીજી તરફ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પાકિસ્તાનમાં ભારતના હવાઇ હુમલા પછી વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યની વર્તમાન કાનૂન વ્યવસ્થા અને સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી હતી. સત્યપાલ મલિકે બધા દળોને રાજ્યમાં કાનૂન વ્યવસ્થા કાયમ રાખવા માટે જરૂરી પગલાં ઉઠાવવાનો નિર્દેશ આપ્યો હતો.
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષા દળોએ જૈશના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પાકિસ્તાનમાં ભારતના હવાઇ હુમલા પછી વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યની વર્તમાન કાનૂન વ્યવસ્થા અને સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી હતી. સત્યપાલ મલિકે બધા દળોને રાજ્યમાં કાનૂન વ્યવસ્થા કાયમ રાખવા માટે જરૂરી પગલાં ઉઠાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે શાંતિ બનાવી રાખવા માટે લોકોની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમનું પ્રશાસન લોકોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે. અને જરૂર પડશે તો રેડીયો કે ટીવીના માધ્યમથી તેમની સાથે સંપર્ક કરશે. તેમણે લોકોને અફવાઓનો વિશ્વાસ ન કરવા અનુરોધ કર્યો હતો.
