જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 2 પોલીસ જવાન શહીદ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ પોલીસ જવાનોની બસ પર હુમલો કર્યો હતો. આતંકીઓના હુમલામાં 2 જવાનો શહીદ થયા છે તો 12 પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે આર્મીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શ્રીનગરના જેવન વિસ્તારમાં આતંકવાદીઓએ જેવન વિસ્તારમાં પોલીસ જવાનોની બસ પર ગોળીબાર કર્યો હતો. હુમલાની ઘટના બાદ સૈન્યએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. જે વિસ્તારમાં આતંકીઓએ હુમલો કર્યો ત્યા જમ્મુ-કાશ્મીરનું પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને સેના તથા CRPFના ઘણા કેમ્પ આવેલા છે.
