જમ્મુ- કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રાનો 28 જૂનથી થશે શુભારંભ
Live TV
-
28 જૂનથી 22 ઓગષ્ટ સુધી યોજાશે અમરનાથ પવિત્ર યાત્રા. સવાર-સાંજની આરતીનું થશે ઓનલાઇન પ્રસારણ
દર વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા પર અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે આ ચાલુ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. 56 દિવસ ચાલનારી આ યાત્રાની પૂર્ણાહુતિ, 22 ઓગસ્ટના દિવસે થશે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે આ પવિત્ર અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી.
હાલની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે પણ કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે, જેના કારણે આ યાત્રા દરમિયાન કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. શ્રી અમરનાથ તીર્થ બોર્ડના જણાવ્યા અનુસાર અમરનાથ ધામની સવાર અને સાંજની પૂજા-આરતીનું ઘરે બેઠા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પ્રસારણ કરવામાં આવશે.
