જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવા રાજ્યસભાની મંજૂરી
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન વિધેયક રજૂ કર્યું
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન વિધેયક રજૂ કર્યું હતું. તો સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી વધારવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં સંવિધાન મુજબ રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંગે વાતચીત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકારની આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ છે. તેમણે કહ્યું હતું કે, જે ભારતને તોડવાની વાત કરે છે તેને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. તો સાથે જ ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને કારણે ચૂંટણી સાથે ચૂંટણી ન કરી હોવાનું જણાવ્યું હતું. ગૃહમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, ઘાટીના લોકોનું દિલ અમે જીતીશુ અને બધુ સારુ જ રહેશે.
