જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં આજના દિવસે સુરક્ષા દળો અને સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા છે. જો કે કમનસીબે સામસામા ગોળીબારમાં સેનાનો એક જવાન પણ શહિદ થયો છે
જમ્મુ કાશ્મીરમાં આજના દિવસે સુરક્ષા દળો અને સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા છે. જો કે કમનસીબે સામસામા ગોળીબારમાં સેનાનો એક જવાન પણ શહિદ થયો છે. નોંધનીય છે કે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં કુલ 3 આતંકવાદીઓ ઠાર કરાયા છે. જેમાં પ્રથમ એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના ગાંજીગુંડ વિસ્તારમાં થયું હતું. તેમાં સૈન્યનો એક જવાન શહીદ થયો હતો. તો બીજા એન્કાઉન્ટરમાં બડગામ જિલ્લાના પાનઝાન વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ઠાર મરાયેલા આતંકવાદીઓ ક્યા જુથના છે તેની તપાસ ચાલી રહી છે.
