જમ્મુ કાશ્મીરમાં સુશાસન માટે સરકાર પ્રતિબદ્ધઃ ગૃહમંત્રી રાજનાથ સિંહ
Live TV
-
વધુમાં તેમણે કહ્યું હતું કે, સુશાસન અને વિકાસ પર નવેસરથી ધ્યાન આપી કેન્દ્ર સરકાર રાજ્યના લોકોમાં નવી આકાંક્ષાઓ અને આશાઓ માટે પ્રયાસરત છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની જમ્મુ કાશ્મીરની યાત્રાના આજે બીજા દિવસ ગુરુવારે શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ એનએનવોહરા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ડીજીપી સહિતના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્યપાલ શાસન લાગુ કરાયા બાદ ગૃહમંત્રી પહેલીવાર કાશ્મીરની મુલાકાતે ગયા છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, વ્યવસ્થામાં જવાબદેહી, પારદર્શકતા અને સુશાસન લાવવા માટે કેન્દ્ર સરકાર તમામ યોગ્ય પગલાં ભરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સુશાસન અને વિકાસ પર નવેસરથી ધ્યાન આપી કેન્દ્ર સરકાર રાજ્યના લોકોમાં નવી આકાંક્ષાઓ અને આશાઓ માટે પ્રયાસરત છે.
