ભીડ હિંસા રોકવા માટે રાજ્યોને કેન્દ્ર સરકારે નિર્દેશ જારી કર્યાં
Live TV
-
કેન્દ્ર દ્વારા રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, તેઓ એવા વિસ્તારોની ઓળખ કરે, જ્યાં અફવાઓની શક્યતા હોઈ શકે અને એવા સંલગ્ન હોય એવા સમુદાયો સાથે વાતચીત પણ કરે.
ભીડ દ્વારા મારી મારીને હત્યા કરવાના મામલાને રોકવા માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ કર્યા છે. સોશિયલ મીડિયા દ્વારા બાળક ચોરીની ઘટનાઓની અફવા ફેલાવા અને તેના કારણે થયેલ મોત પર મંત્રાલયે કડક વલણ દર્શાવ્યું છે.
રાજ્યોમાં આ પ્રકારના મામલાઓને રોકવા માટે તત્કાલિન પગલાં લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, તેઓ એવા વિસ્તારોની ઓળખ કરે, જ્યાં અફવાઓની શક્યતા હોઈ શકે અને એવા સંલગ્ન હોય એવા સમુદાયો સાથે વાતચીત પણ કરે.
