જમ્મુ-કાશ્મીર: ઈદની ઉજવણી બાદ અમુક નિયંત્રણો ઉઠાવી લેવાયા
Live TV
-
અમુક વિસ્તારોમાં નિયંત્રણો અમલી
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઈદની શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન થયા બાદ કેટલાક નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. તો જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં નિયંત્રણો હજુ અમલી છે. જમ્મુ-કાશ્મીરના આયોજન અને વિકાસ વિભાગના અગ્ર સચિવ રોહિત કંસલે સમગ્ર સ્થિતિ અંગે મીડિયાને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લામાં 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સૈન્ય વડા જનરલ બીપીન રાવતે જણાવ્યું હતું કે, સૈન્ય હંમેશા કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર હોય છે. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તકેદારીના પગલાં રૂપે સૈન્ય તૈનાત છે અને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
