જમ્મુ - કાશ્મીર ના તંગધારમા્ં સુરક્ષાદળો અને આતંકી વચ્ચેની અથડામણમાં 5 આતંકી ઠેર, એક જવાન શહીદ
Live TV
-
ભારતીય સૈન્ય જમ્મુ - કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ હેઠળ આંતકવાદીઓને ખતમ કરવા પાછળ લાગેલી છે. નિયંત્રણ રેખા નજીક કુપવાડામાં ચાલી રહેલી ઘૂસણખોરી વિરોધી અભિયાનમાં પાંચ આતંકવાદી ઠાર થયા હતા. અભિયાનમાં એક સૈનિક શહીદ પણ થયા હતા. આ પહેલાં રવિવારે પણ બે ત્રાસવાદી માર્યા ગયા હતા. સુરક્ષા દળોને શંકાસ્પદ હિલચાલ ધ્યાનેઆવતા, અથડામણ સર્જાઈ હતી અને બે ત્રાસવાદી ઠાર થયા હતા. સૈન્ય દ્વારા થઈ રહેલી કામગીરીને પગલે, ત્રાસવાદીઓનું આત્મબળ તૂટી રહ્યું છે. જમ્મુના સોપોર ખાતે આજે સવારથી, સુરક્ષા દળ અને આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે.
