જમ્મુ-કાશ્મીર: નૌશેરામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો, બે જવાનો શહીદ થયા
Live TV
-
આર્મી જવાનને આતંકવાદીઓના છુપાયેલા હોવાની જાણ થઈ હતી, ત્યારબાદ તેઓ આ વિસ્તારની તપાસ કરી રહ્યા હતા અને આતંકવાદીઓની શોધ કરી રહ્યા હતા. આ દરમિયાન છુપાયેલા આતંકીઓ દ્વારા બે સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સર્ચ ઓપરેશન દરમિયાન બે ભારતીય જવાનો શહીદ થયા છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સૈનિકો પર હુમલો કર્યો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન હજી ચાલુ છે અને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.અહેવાલ મુજબ સેનાના જવાનોને આતંકવાદીઓના છુપાયેલા હોવાની જાણ થઈ હતી, ત્યારબાદ તેઓ આ વિસ્તારની તપાસ કરી રહ્યા હતા અને આતંકવાદીઓની શોધ કરી રહ્યા હતા. આ દરમિયાન છુપાયેલા આતંકીઓ દ્વારા બે સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા પાકિસ્તાન દ્વારા નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો હતો.
