જમ્મુ-કાશ્મીર મામલે રાહુલ ગાંધીના ટ્વિટનો સહારો લઈ પાકિસ્તાને UNમાં લખી ચિઠ્ઠી
Live TV
-
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરમાં માનવઅધિકારોના ભંગનો આરોપ લગાવતા ભારત વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં પાકિસ્તાને રાહુલ ગાંધીના જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવાયા બાદ કરેલા કેટલાક ટ્વીટ અને નિવેદનોનો ઉલ્લેખ પણ કર્યો છે.
ત્યારે આ મામલે ભારતમાં રાજનીતિ ગરમાઈ છે. સરકાર તરફથી લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ રાહુલ પર પ્રહાર કર્યો હતો કે રાહુલ ગાંધીની નાદાની એ જ કોંગ્રેસની પરેશાની છે.
જો કે પાકિસ્તાનના પત્ર બાદ રાહુલે રિટ્વીટ કરી પાકિસ્તાનના ફવાદ ચૌધરીને ટ્વીટનો જવાબ આપતા લખ્યુ છે કે હું અમારી સરકાર સાથે અમુક મુદ્દે અસહમત હોઈ શકું છું ,પરંતુ એક વાતની સ્પષ્ટતા કરી દઉ કે જમ્મુ કાશ્મીર મામલે જે નિર્ણય કરાયો છે, તે ભારતનો આંતરિક મામલો છે.
