જયપુરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે જાહેર કરાઇ
Live TV
-
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટિની અઝરબેજાનના બાકુમાં ચાલતા 43માં સત્ર બાદલ જાહેરાત કરાઇ..રાજસ્થાનમાં 37 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે.
રાજસ્થાનની રાજધાની જયપુરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટિની અઝરબેજાનના બાકુમાં ચાલતા 43માં સત્ર પછી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 37 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. જેમાં ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોરનો સમાવેશ થાય છે. આ જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, 'જયપુરનો સંબંધ સંસ્કૃતિ અને શૌર્ય સાથે છે. ઉત્સાહથી ભરપુર જયપુરના યજમાનપણાના કારણે લોકો તેના તરફ ખેંચે છે.
