Skip to main content
Settings Settings for Dark

જયપુરમાં પ્રધાનમંત્રીએ 2100 કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રીએ અજમેર શહેર માટે નેટવર્ક નિર્માણ અને અમૃત મિશન હેઠળ પેયજળ યોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. 

    પ્રધાનમંત્રીએ લાભાર્થી જન સંવાદ કાર્યક્રમમાં રાજસ્થાનને કુલ 2100 કરોડની યોજનાઓની ભેટ આપી છે. તેમણે સ્માર્ટ સીટી મિશન હેઠળ અજમેર માટે 2.70 કિમી એલિવેટેડ રોડનો શિલાન્યાસ કર્યો હતો.  220 કરોડની આ યોજના 2 વર્ષમાં પૂરી થશે. 

    પ્રધાનમંત્રીએ અજમેર શહેર માટે નેટવર્ક નિર્માણ અને અમૃત મિશન હેઠળ પેયજળ યોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેની સાથે જ ઉદયપુર પરકોટેની અંદર એકીકૃત આધારભૂત નિર્માણનું શિલાન્યાસ પણ કર્યું હતું. તેમણે કુલ 557 કરોડની પેયજળ, ગટર, રસ્તાઓ અને ઈલેક્ટ્રિક વાયરોને જમીનમાં કરવા જેવી અલગ અલગ યોજનાઓની શરૂઆત કરી હતી. 

    પ્રધાનમંત્રીએ કોટા સ્થિત દશેરા મેદાનના બીજા તબક્કાનું કુંડ પાર્કના નિર્માણ માટે 33 કરોડની યોજનાનો શિલાન્યાસ કર્યો હતો, જેને 1 વર્ષમાં પૂરી કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત મિશન હેઠળ સીકરમાં સીવેજ લાઈનનું બીજા તબક્કાનું કામ શરૂ કરાવ્યું હતું. 

    પ્રધાનમંત્રીએ અમૃત મિશન હેઠળ નાગૌર, ઝાલાવાડ, ચિતોડગઢ, કિશનગઢ, સુઝાનગઢ શહેરોની હરિયાળી સીમા પરિયોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. માઉન્ટ આબુમાં 68 કરોડ રૂપિયાની એસટીપી યોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply