માનસરોવર યાત્રાળુઓને સુરક્ષિત બચાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
Live TV
-
નેપાલમાં માનસરોવર યાત્રા દરમ્યાન ખરાબ હવામાનને કારણે ફસાયેલા યાત્રાળુઓને સુરક્ષિત બચાવવાની કામગારી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સિમકોટ અને હિલ્સા વિસ્તારમાંથી 160 યાત્રાળુઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
નેપાલમા કૈલાશ માનસરોવર યાત્રા દરમ્યાન ફસાયેલા યાત્રાળુઓને બચાવવાની કામગીરી શનિવારે પૂર્ણ થઈ હતી. અમારા સંવાદદાતા રાજકુમારે જણાવ્યું હતું કે દૂર્ગમ એવા સિમકોટ અને હિલ્સા વિસ્તારમાંથી 160 યાત્રાળુઓને બચાવવામાં આવ્યા છે.
ગત શનિવારે ખરાબ હવામાનને કારણે સિમકોટ, હિલ્સા તથા તિબેટ તરફ 1500થી વધારે યાત્રાળુઓ ફસાયા હતા. હવે સ્થિતિ નિયંત્રણમાં છે. નેપાલના રસ્તે કૈલાસ માનસરોવર યાત્રા સુવિધા સાથે ચાલી રહી છે.
