જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ આજથી ભારતના પ્રવાસે
Live TV
-
જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ સંરક્ષણ અને સુરક્ષા સહિતના મહત્ત્વના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના લક્ષ્ય સાથે 31 ઓક્ટોબરથી ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવશે.
ચાન્સેલર માર્કેલ સાથે 15 મંત્રાલયોના અધિકારીઓ અને ઉચ્ચ સત્તાવાળા વ્યવસાયિક પ્રતિનિધિમંડળ પણ આવશે. રાજદૂતે કહ્યું કે બંને પક્ષો દ્વારા મ્યુઝિયમ સહયોગ, ફૂટબોલ, કૃષિ, વિકાસ અને સામાજિક સુરક્ષા સહિતના 20 કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
એન્જેલા માર્કેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની વાટાઘાટોમાં, ખાસ કરીને કેટલાક ક્ષેત્રોમાં સહયોગ નોંધપાત્ર રીતે વધારીને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જૂનમાં, પીએમ મોદી અને ચાન્સેલર માર્કેલ, જાપાનના શહેર ઓસાકામાં જી -20 શિખર સંમેલનની બેઠક પર મળ્યા હતા અને આર્ટિફિસિયલ ઇંટેલીજ્ન્સ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
