જસ્ટિસ રંજન ગોગોઈએ આજથી દેશના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળ્યું
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને દેશના નવા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ગોગોઈ દેશના 46મા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા છે. જસ્ટિસ ગોગોઈ દેશના 46મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
અંદાજે 14 મહિનાનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ 17મી નવેમ્બર 2019ના રોજ નિવૃત્ત થશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
