જાણીતા ઈસ્લામિક વિદ્વાન મૌલાના વહિદુદ્દીન ખાનનું નિધન, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
જાણીતા ઈસ્લામિક વિદ્વાન મૌલાના વહીદદ્દીન ખાનનું નિધન થયું જેઓ 96 વર્ષના હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૌલાના વહીદદ્દીન ખાનનાં નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને ધર્મ અને આધ્યાત્મનાં અખૂટ જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, મૌલાના વહીદુદ્દીન ખાને સામુદાયિક સેવા અને સામાજીક સશક્તિકરણનાં ક્ષેત્રે પણ ઉલ્લેખનિય કાર્ય કર્યું છે. તેમના પરિવાર અને અગણિત શુભચિંતકો પ્રત્યે તેઓએ સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એક ટ્વિટમાં પદ્મ વિભૂષણથી સન્માનિત મૌલાના વહીદદ્દીને સમાજમાં શાંતિ, સદભાવ અને સુધારા માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.
