જેટલીઃ જમ્મૂ-કાશ્મીર પર નહેરૂનો દ્રષ્ટિકોણ અયોગ્ય
Live TV
-
કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ જમ્મૂ-કાશ્મીર પર નેહરૂવાદી દ્રષ્ટિને ગણાવી અયોગ્ય, ફેસબુક પોસ્ટમાં કહ્યું, વિશેષ દરજ્જાથી અલગાવવાદની યાત્રા પર પ્રતિબંધ લગાવવાનો છે સમય, અધિસૂચના દ્વારા સંવિધાનમાં સામેલ કરવામાં આવી કલમ-35 એ.
નાણામંત્રી અરૂણ જેટલીએ આર્ટિકલ 35 એને જમ્મૂ કાશ્મીરમાં નાગરિકો વચ્ચે ભેદભાવ માટે જવાબદાર ઠેરવ્યો છે. જેટલીએ આજે ન આ વિશે માત્ર બ્લોગ લખ્યો પરંતુ વીડિયોના માધ્યમથી પણ પોતાનો મત રજૂ કર્યો છે. જેટલીએ કહ્યું કે, જમ્મૂ કાશ્મીરના સંબંધમાં નહેરૂનો દ્રષ્ટિકોણ યોગ્ય નહતો અને હવે સમય આવી છે કે, આપણે વિશેષ દરજ્જાથી અલગાવ સુધીની યાત્રાને વિરામ આપીએ. તેમણે કહ્યું કે, 1954માં સંવિધાનમાં રાષ્ટ્રપતિની અધિસૂચના દ્વારા આર્ટિકલ 35 એને સામેલ કરવામાં આવ્યો હતો. તે ક્યારેય બંધારણનો મૂળ ભાગ નથી રહી અને ન તો અનુચ્છેદ 368ની જેમ છે.
