જેટ એરવેઝે અસ્થાયી રૂપે ઉડાન બંધ કરી
Live TV
-
બેન્કો દ્વારા 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ આપવાનો ઇન્કાર બાદ કંપનીનો નિર્ણય
આર્થિક તંગીના કારણે જેટએરવેઝે અસ્થાયી રૂપે ઉડાન બંધ કરી છે. બેન્કો દ્વારા 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ આપવાનો ઇન્કાર કર્યા બાદ કંપનીએ કહ્યું કે તમામ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ઉડાનને તત્કાળ પ્રભાવથી રદ કરવામાં આવે છે. કંપની પાસે ઇંધણ અને અન્ય ખર્ચાઓ માટે ધનની કમી છે. કંપનીએ વહેલાસર યાત્રીઓની સેવા શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. 25 વર્ષ જૂની એરલાઇન્સ કંપની ઉપર આઠ હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે
