ડિસેમ્બર સુધીમાં સરકાર ઉડાન-2 લોન્ચ કરશેઃ સુરેશ પ્રભુ
Live TV
-
નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું, કે ડિસેમ્બર-2018 સુધીમાં સરકાર ઉડાન-2 લોન્ચ કરવા જઇ રહી છે.
કેન્દ્ર સરકારના શાસનના ચાર વર્ષની ઉપલબ્ધિ સંદર્ભે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું, કે ડિસેમ્બર-2018 સુધીમાં સરકાર ઉડાન-2 લોન્ચ કરવા જઇ રહી છે.
જેના અંતર્ગત મુસાફરોને બાયોમેટ્રિક એન્ટ્રી અને બોર્ડિંગનો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે. અત્રે ઉલ્લેખનીય છે, કે વર્ષ 2016માં સરકારે એવિએશન પોલિસીમાં સામાન્ય જનતાને વિમાન મુસાફરી ઉપલબ્ધ કરાવવા નાના શહેરોને મોટા શહેરો સાથે સાંકળવા સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
આ ઉપરાંત એમણે એમ પણ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાનો કેટલોક હિસ્સો વેચવા અંગેના નિર્ણયની પણ સમીક્ષા કરવામાં આવશે.
