Skip to main content
Settings Settings for Dark

ડૉ. બી આર આંબેડકરની જન્મ જંયતી નિમિતે ભાજપ તેનું ઘોષણ પત્ર કરશે જાહેર

Live TV

X
  • ભાજપે સંકલ્પ પત્ર માટે કુલ 27 લોકોની મુખ્ય કમિટિની રચના કરી હતી

    લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાના પ્રયાસો કરી રહી છે. ત્યારે આજરોજ 14 એપ્રિલ 2023 ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જંયતી પર ઘોષણા પત્ર પ્રજા સમક્ષ જાહેર કરશે. જોકે લોકસભા ચૂંટણી 2024 કુલ 7 તબક્કાઓમાં યોજાવાની છે. 

    અગાઉ ભાજપે સંકલ્પ પત્રની કમિટિની રચના કરી હતી. આ કમિટિના અધ્યક્ષ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત મુખ્ય આ કમિટિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આગવું સ્થાન અપાવ્યું છે.  કુલ 27 લોકોની કમિટિ તૈયાર કરવામાં આવી હતી. તે ઉપરાંત ભાજપના સંકલ્પ પત્રમાં જે બાબાતોનો સમાવેશ કરવો જોઈએ, તેને લઈ જાહેર જનતા પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા હતા.    

    સરકારની નમો એપ દ્વારા કુલ 40 હજાર લોકોએ પોતાના અભિપ્રાય જણાવ્યા હતા. તો ભાજપને આંતરિક રીતે કુલ 5 લાખ જેટલો સૂચનો મળ્યા છે. ત્યારે આ ઘોષણા પત્રમાં મુખ્યત્વે પ્રાથમિક જરૂરિયાતો અને વિકસિત કામોને લગતા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હશે. આ ઘોષણા પત્રમાં ખેડૂતો, મહિલાઓ, બાળકો અને ગરીબોને લગતી મુશ્કેલીઓ માટે મુખ્ય રીતે જાહેરાત કરવામાં આવશે. તે ઉપરાંત આ મેનિફેસ્ટની થીમ મોદીની ગેરંટી-વિકસિત ભારત 2027 હશે.  

    જોકે ભાજપ પહેલા કોંગ્રેસ સંકલ્પ પત્રની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે તેના સંકલ્પ પત્રનું નામ ન્યાય પત્ર રાખ્યું છે. કોંગ્રેસ કુલ 25 ગેરંટીઓનો પત્રમાં સમાવેશ કર્યો છે. પત્રમાં મુખ્યત્વે ગરીબ કલ્યાણ અને મહિલાઓ માટે દર વર્ષે 1 લાખ રૂપિયાની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત યુવાનોને રોજગાર આપવા માટે વચનો આપવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply