તમામ મુસાફર ટ્રેન 31 માર્ચ સુધી સ્થગિત
Live TV
-
મેટ્રો, આંતરરાજ્ય બસ સેવા પણ બંધ
કોરોના વાઇરસના દેશભરમાં વધતાં પ્રકોપને ડામવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના અનેક પગલાં. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ મુસાફર ટ્રેન 31મી માર્ચ સુધી સ્થગિત. મેટ્રો , આંતર રાજ્ય બસ સેવા પણ બંધ.ગરીબ લોકોને કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે રાજ્ય સરકારોને આવશ્યક પગલાં લેવા કેન્દ્રનો નિર્દેશ
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે ઘણા પગલાનું એલાન કર્યું છે. વાયરસ સંક્રમણ ફેલાતુ અટકાવવા 22 માર્ચથી મધ્યરાત્રિથી 31 માર્ચની મધ્યરાત્રિ સુધી તમામ પ્રવાસી ટ્રેન બંધ રહેશે. આ ઉપરાંત 31 માર્ચ મધ્યરાત્રિ સુધી ઉપનગરીની મેટ્રો ટ્રેન સેવા બંધ રહેશે. તો 31 માર્ચ સુધી દિલ્હી મેટ્રો સહિત તમામ મેટ્રો સેવા સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. આંતર રાજ્ય બસ સેવા 31 માર્ચ સુધી બંધ રખાઈ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સંક્રમીત 75 જિલ્લામાં આવશ્યક સેવાઓનું પરિવહન કરવાનું આદેશ કર્યો છે. જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમાજના ગરીબોને નુકસાન ન પહોચે તે માટે પગલાઓ ભરાયા છે. સરકારે રાજ્યોને લોકોને તકલીફ ન પડે તે માટે પગલા ભરવા જણાવ્યું હતું
