PM મોદીની બીજી વખત અપીલ, લોકડાઉનનું ગંભીરતાથી પાલન કરો
Live TV
-
દેશમાં કોરોના કેસ 415, 7 લોકોના મોત
દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 415 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 7 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 1 સંક્રમિતનું મોત થયું છે. 14 કેસ મુંબઈ અને 1 પુનામાં મળ્યો છે. હવે અહીં કુલ 89 કેસ થયા છે. 22 રાજ્યોના 75 જિલ્લામાં 31 માર્ચ સુધી લોકડાઉન છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, રવિવારે સૌથી વધુ 81 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. અગાઉ શનિવારે 79 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા.
કોરોના સંક્રમણ દેશના 23 રાજ્યોમાં પહોંચી ચુકયુ છે. સૌથી વધુ 89 મામલાઓ મહારાષ્ટ્ર અને બાદમાં કેરળમાં 67 સંક્રમિત મળ્યા છે. કોરોનાના 90 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ છે. માત્ર 7 ટકા મામલામાં રિકવરી થઈ છે. દેશ ધીરે-ધીરે લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે.
