તેલંગાણામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત
Live TV
-
તેલંગાણામાં ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પડી છે. ભારે વરસાદના પરિણામે સર્જાયેલી દુર્ઘટનાથી 11 લોકોનાં મોત થયા નીપજ્યા છે. હૈદરાબાદમાં એક મકાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી 9 લોકોનાં મૃત્યું નિપજ્યાં છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. સતત વરસાદના કારણે, અનેક વિસ્તારોમાં અને રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયાં છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે તેલંગાણા સરકારે જણાવ્યું હતું કે, તેઓ હવામાન વિભાગ દ્વારા અપાતી આગાહીની સતત સમીક્ષા કરી રહ્યાં છે. સ્થિતિને જોતા તમામ સ્થળે મદદ પહોંચાડવાનું પણ સરકારે આશ્વાસન આપ્યું છે.
