તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવને રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હાએ આપી મંજૂરી
Live TV
-
તેલગાંણા વિધાનસભા ભંગ થઇ ગઇ છે. તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવને રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હાએ મંજૂરી આપી છે.ત્યારે હવે વિધાનસભા ભંગને મંજૂરી મળતા હવે વહેલી ચૂંટણી યોજાશે. આ અગાઉ રાજ્ય કેબીનેટની બેઠકમાં તેલંગાણા વિધાનસભા ભંગ કરવાના પ્રસ્તાવ પાસ થઇ ગયો હતો. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યુ હતુ. જેને રાજ્યપાલે મંજૂર કરી દીધું છે. રાજ્યપાલે નવી સરકાર રચાય ત્યાં સુધી ચંદ્ર શેખર રાવને મુખ્યમંત્રી રૂપે કાર્યભાર સંભાળવા કહ્યુ છે. તેલંગાણા સરકારનો કાર્યકાળ 2 જૂન 2019 સુધીનો હતો. પરંતુ મુખ્યમંત્રી કે સી રાવ આ વર્ષના અંતમાં ચાર રાજ્યમાં થવા જઇ રહેલી ચુંટણી સાથે જ તેલાંગણામાં પણ ચુંટણી કરાવવા માંગે છે.
