ત્રણ દેશોના સફળ પ્રવાસબાદ પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા
Live TV
-
ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની સફળ યાત્રા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ રવાના થયા છે. વડાપ્રધાન ત્રણ દિવસીય સિંગાપુર પ્રવાસ પછી ભારત પાછા ફરી રહ્યા છે.
પ્રવાસનું સમાપન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં ચાંગી નૌસેના ફ્લૅડમાં ભારતીય નૌસેનાના જહાજોના અધિકારીઓ અને નાવિકોને મળ્યા હતા. વડાપ્રધાનએ સિંગાપોરના નૌસેનાના અધિકારીઓ અને સૈનિકોની પણ મુલાકાત લીધી હતી.
પીએમ મોદીએ ભારતીય નૌકાદળની શિપ આઇએનએસ સતપૂડામાં જોવા માટે ગયા હતા. આઇએનએસ સાતપુડા સ્વદેશી ટેકનોલોજીથી બનેલી બીજી બહુહેતુક, રાડારના નિશાનીથી બચાવવાની શક્તિ યુદ્ધમાં અવલ્લ છે. ભારત અને સિંગાપોર બન્ને આ વર્ષે સિંગાપોર-ભારત મેરીટાઈમ દ્વિપક્ષી અભ્યાસક્રમ 25મી વર્ષગાંઠ ઉજવશે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોર પ્રવાસના ત્રીજા દિવસ ત્યાંના વરિષ્ઠ મંત્રી ગોહ ચૉક ટોગ સાથે પણ મુલાકાત લીધી હતી. તેઓ ગોહ ચૉક ટોંગ સાથે મહાત્મા ગાંધી પટ્ટિકાનું અનાવરણ કર્યુ હતું.
સિંગાપોરના ક્લિફોર્ડ પિયરમાં 1948માં મહાત્મા ગાંધીના અસ્થિને વિસર્જીત કરવામાં આવ્યા હતા.
