થોડીવારમાં PM મોદી 'મૈં ભી ચોકીદાર' અભિયાન હેઠળ કરશે સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે દેશના 25 લાખ ચોકીદારોને સંબોધન.મૈં ભી ચોકીદાર અભિયાન હેઠળ ઑડિયો સેતુના માધ્યમથી કરશે સંબોધન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ધૂળેટીની પૂર્વ સંધ્યાએ ઓડિયો સેતુના માધ્યમથી દેશભરના લગભગ 25 લાખ ચોકીદારોને સંબોધન કરશે અને તેમની સાથે હોળીના રંગો મનાવશે. "મૈં ભી ચોકીદાર" અભિયાન હેઠળ કરવામા આવેલી પહેલનો આ પ્રથમ ભાગ હશે.
બીજેપીએ જણાવ્યું છે કે આ ક્રમમાં નરેન્દ્ર મોદી 31 માર્ચે , વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના લગભગ 500 સ્થળોએથી એ ચોકીદારો સાથે પણ વાત કરશે જે "મૈં ભી ચોકીદાર" અભિયાન સાથે જોડાયેલા છે.
