દમણ ખાતે કરાઈ પત્રકારત્વના દિવસની ઉજવણી
Live TV
-
નેશનલ પ્રેસ ડે નિમિત્તે દમણમાં ડિજિટલ યુગમાં આચારસંહિતા અને પડકાર વિષયક ચર્ચા આયોજિત કરવામાં આવી હતી જેમાં પત્રકારો સહિત ઇન્ફોર્મેશન તેમજ પબ્લિસિટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લોકશાહીની ચોથી જાગીર એવા પત્રકારત્વના દિવસની ઉજવણી દમણ ખાતે કરવામાં આવી હતી. નેશનલ પ્રેસ ડે નિમિત્તે દમણમાં ડિજિટલ યુગમાં આચારસંહિતા અને પડકાર વિષયક ચર્ચા આયોજિત કરવામાં આવી હતી. જેમાં પત્રકારો સહિત ઇન્ફોર્મેશન તેમજ પબ્લિસિટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ ઇન્ફોર્મેશન અને પબ્લિસિટી વિભાગના સેક્રેટરી મહિરવર્થન તથા એફપીઓ હરમિન્દર સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. મહિરવર્ધન સિંહે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે માધ્યમો હવે આધુનિક બન્યા છે ત્યારે માધ્યમોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. કાર્યક્રમમાં પત્રકારોને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
