દર મહિને ગરીબોના ખાતામાં 500 રૂપિયા ત્રણ મહિના સુધી આપશે સરકાર
Live TV
-
જનધન ખાતામાં 3 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે જનધન ખાતામાં 500 રુપિયા નાખવામાં આવશે
સરકારે કોરોના વાયરસ સંકટના કારણે ગરીબોના બેંકના ખાતામાં પૈસા નાખવાનો નિર્ણય કર્યો છે. સરકાર ગરીબ મહિલાઓના જનધન ખાતામાં દર મહિને 500 રુપિયા નાખશે. આ મદદ ત્રણ મહિના સુધી આપવામાં આવશે. મહિલાઓના જનધન ખાતામાં 3 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે જનધન ખાતામાં 500 રુપિયા નાખવામાં આવશે. સરકાર મહિલા લાભાર્થીઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવી રહી છે. ભીડથી બચવા માટે આ વિતરણની યોજના બનાવી છે. RBIએ 7 થી 17 એપ્રિલ સુધી બજારના વેપારના સમયમાં ચાર કલાકનો કાપ મૂક્યો છે. ગ્રાહકો માટે બધી નિયમિત સેવા પૂરી રીતે ઉપલબ્ધ રહેશે