દિલ્લીમાં એક સપ્તાહ સુધી લૉકડાઉન લંબાવાયુ, જાણો દેશમાં કોવિડ-19 અંગે તમામ અપડેટ
Live TV
-
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણનો આંક 3 લાખને પાર થયો છે...છેલ્લા 24 કલાકમાં 3 લાખ 49 હજાર 691 કેસ નોંધાયા છે..જ્યારે 2 હજાર 767 લોકોના મૃત્યુ થયાં છે.. તો બીજી તરફ 2 લાખ 15 હજાર 803 દર્દીઓ સ્વસ્થ થયા છે..છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67 હજાર 160 કેસ નોંધાયા છે., જ્યારે ઉત્તરપ્રદેશમાં 37 હજાર 944, કર્ણાટકમાં 29 હજાર 438, કેરળમાં 26 હજાર 685, દિલ્હીમાં 24 હજાર 103 અને છત્તીસગઢમાં 16 હજાર 731 નવા કેસ નોંધાયા છે.. દેશમાં અત્યાર સુધીમાં 14 કરોડ 9 લાખ 16 હજાર 417 લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે... આ તરફ દિલ્લીમાં વધી રહેલા કેસને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક સપ્તાહ સુધી લોકડાઉન લંબાવ્યું છે...તમિલનાડુમાં આજે સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું.. ચેન્નઈ શહેરમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.. તો પંજાબના અમૃતસરમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે...
