દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાશે
Live TV
-
આ બેઠકમાં દેશભરમાંથી લગભગ 12 હજાર ભાજપ કાર્યકર્તાઓને આમંત્રિત કરાયા છે. આ બેઠકમાં દરેક લોકસભા ક્ષેત્રના નેતાઓને આમંત્રિત કરાયા છે.
ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય મહા અધિવેશન આજથી દિલ્હીના રામલીલા મેદાનમાં શરૂ થઈ રહ્યું છે. આ બેઠકમાં દેશભરમાંથી લગભગ 12 હજાર ભાજપ કાર્યકર્તાઓને આમંત્રિત કરાયા છે. આ બેઠકમાં દરેક લોકસભા ક્ષેત્રના નેતાઓને આમંત્રિત કરાયા છે. પરિષદની બેઠકમાં રાજનૈતિક અને આર્થિક મુદ્દા સહિત કુલ 3 મુખ્ય પ્રસ્તાવને બહાલી આપવાની સંભાવના છે. આ અધિવેશન ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણથી શરૂ થશે. જ્યારે શનિવારે તેનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે થશે.
